Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - જીંદગી રંગબેરંગી મેળાવડો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-30 17:30:28

કોઈને જીંદગી એકદમ ખુશીઓથી ભરેલી લાગે છે તો કોઈને જીવનમાં માત્ર દુ:ખ દુ:ખ લાગે છે... કોઈ લોકો તો એવા હોય છે પોતાની જાતને પ્રેમ જ નથી કરતા.. પોતાની જાત સાથે મુલાકાત નથી કરતા.. પ્રશ્નો ઘણા હોય છે, જવાબ તે બહાર શોધે છે પરંતુ ઘણી વખત પ્રશ્નોના જવાબ પોતાની અંદર જ હોય છે, પોતાની પાસે જ હોય છે. જો તમે ખુદ માટે સમય નથી કાઢતા, પોતાના માટે સારૂં નથી વિચારી શકતા તો તે ખોટી વસ્તુ કહેવાય.. જો તમે ખુદને પ્રેમ કરશો તો જ તમે દુનિયાને પ્રેમ કરી શકશો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જીંદગી રંગબેરંગી.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


જીંદગી રંગબેરંગી મેળાવડો

ગમતો અણગમતો ખુદનો મેળો


ન ખુદને ખોઈ શકે તું,

ન ખુદને છોડી શકે તું


તું જ તારા પ્રશ્નોનો ઉત્તર

તું જ તારી તકલીફનું નિરાકરણ


ન ખોતર કે છેતર માનવી

ખુદને ખોજ લઈ દીર્ઘ દ્રષ્ટિ


ઉતર ભીતર ઝાંખ ખુદને

પામ ઉંડાણે વેંત છેટા સ્વને


ભીતર ઝળકે રંગબેરંગી મેળો

ઝળહળ તું સ્વ સ્વર્ગનો મેળાવડો


ચલ મન ભીતર સ્વને જીતવા 

તુજ રણની મીઠી વીરડી શોધવા



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.