Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - જીંદગી રંગબેરંગી મેળાવડો


  • Published By :
  • Published Date : 2024-08-30 17:30:28

કોઈને જીંદગી એકદમ ખુશીઓથી ભરેલી લાગે છે તો કોઈને જીવનમાં માત્ર દુ:ખ દુ:ખ લાગે છે... કોઈ લોકો તો એવા હોય છે પોતાની જાતને પ્રેમ જ નથી કરતા.. પોતાની જાત સાથે મુલાકાત નથી કરતા.. પ્રશ્નો ઘણા હોય છે, જવાબ તે બહાર શોધે છે પરંતુ ઘણી વખત પ્રશ્નોના જવાબ પોતાની અંદર જ હોય છે, પોતાની પાસે જ હોય છે. જો તમે ખુદ માટે સમય નથી કાઢતા, પોતાના માટે સારૂં નથી વિચારી શકતા તો તે ખોટી વસ્તુ કહેવાય.. જો તમે ખુદને પ્રેમ કરશો તો જ તમે દુનિયાને પ્રેમ કરી શકશો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જીંદગી રંગબેરંગી.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


જીંદગી રંગબેરંગી મેળાવડો

ગમતો અણગમતો ખુદનો મેળો


ન ખુદને ખોઈ શકે તું,

ન ખુદને છોડી શકે તું


તું જ તારા પ્રશ્નોનો ઉત્તર

તું જ તારી તકલીફનું નિરાકરણ


ન ખોતર કે છેતર માનવી

ખુદને ખોજ લઈ દીર્ઘ દ્રષ્ટિ


ઉતર ભીતર ઝાંખ ખુદને

પામ ઉંડાણે વેંત છેટા સ્વને


ભીતર ઝળકે રંગબેરંગી મેળો

ઝળહળ તું સ્વ સ્વર્ગનો મેળાવડો


ચલ મન ભીતર સ્વને જીતવા 

તુજ રણની મીઠી વીરડી શોધવા



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?