Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - શું કહેવું આ સમયનું?


  • Published By :
  • Published Date : 2024-07-09 18:13:04

ખરાબ સમય જ્યારે કોઈનો ચાલતો તો આપણે કહેતા હોઈએ છીએ કે આ સમય પણ વીતિ જશે.. પરંતુ આપણે એ નથી કહેતા કે સારો સમય પણ વીતિ જશે. દુ:ખનો સમય હોય તો જલ્દી જતો નથી જ્યારે ખુશીનો સમય હોય તો તે બહુ જલ્દી પસાર થઈ જાય છે.. સમય સતત આપણી પરીક્ષા લીધા કરે છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને જાણ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..       



આ સમયને કઈ સહન નથી થતું સાહેબ

જરાક ખુશીના પલ માણી લઉંને, તો જાણી જોઈને

 આ ખરાબ ચાલવા લાગે છે..


આને માત્ર એક જ કિતાબ વાંચતા આવડે છે

ને એ છે કિસ્મતની,

શું લખ્યું છે ને એમાં, દરેક પળ

બરોબર વાંચી જાયે છે...


લોકો કહેતા હોય છે કે

સમય બધા ઝખમને ભરી દે છે

ના સાહેબ,

આ સમય તો બહુ દોઢ ડાહ્યો છે,

એ એક પીડા પછી બીજી

એટલી મોટી પીડા આપી દે છે

કે પહેલીનો અફસોસ જ થતો નથી,


કોઈ વિષય નહિં કોઈ તૈયારી નહિં

પણ સતત પરીક્ષા જ લીધા કરે છે,

કોઈને માંદગીનું, કોઈને બેરોજગારીનું

કોઈને જુદાઈનું પ્રશ્નપત્ર આફે છે

પણ સુખની વાત તો એટલી છે

કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી

આ સમય કોઈને નાપાસ કરતો નથી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે