Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પરિવારને સમર્પિત એક રચના - નથી જેને કોઈ પરિવાર..


  • Published By :
  • Published Date : 2024-05-15 14:15:35

ઘરને આપણે સ્વર્ગ કહેતા હોઈએ છીએ.. ઘરમાં જે હૂંફ મળે તે બહાર નથી મળતી.. ઘરના માટલામાંથી પીધેલું પાણી આપણા કલેજાને જે ઠંડક આપે છે તેવી ઠંડક ક્યાંય બીજેથી નથી મળતી..! ઘર સ્વર્ગ જેવું ત્યારે લાગે જ્યારે આપણી સાથે આપણો પરિવાર રહેતો હોય.. માતા પિતા, ભાઈ ભાભી રહેતા હોય.. પહેલાના જમાનામાં પરિવાર મોટો હોતો હતો પરંતુ ધીરે ધીરે પરિવાર નાનો થતો ગયો.. માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે..  બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ.. આજે વિશ્વ કુટુંબ દિવસ છે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે  પરિવારને સમર્પિત એક રચના...    



થાય ક્યારેક ભૂલ પોતાનાથી

ના ધમકી આપશો દૂર થવાની..


આપવી હોય તો ભલે આપજો

એ પહેલા અનાથાલય જઈ આવજો..


નથી જેને કોઈ પરિવાર

જાણજો એના દુ:ખ પારાવાર,


કહેશે આપે છે ભગવાન એને પરિવાર 

જે હોય આ જગતમાં ખૂબ જ નસીબદાર..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.