Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્ર અને મિત્રતાને સમર્પિત રચના - ના તોલી શકાય એવું અતુલ્ય રતન છે...


  • Published By :
  • Published Date : 2024-08-03 17:04:47

આપણે આપણા સંબંધીઓને choose નથી કરી શકતા પરંતુ આપણે આપણા મિત્રોને choose કરી શકીએ છીએ.. મિત્રનું હોવું જીવનમાં ખુબ અગત્યની વાત છે. જે વાતો તમે તમારા માતા પિતાને નથી કહી શકતા તે તમે તમારા મિત્ર સાથે કરી શકો છો.. આંખ બંધ કરી મિત્ર પર ભરોસો કરી શકો છો.. સાચા મિત્ર મળવા ખૂબ જરૂરી છે.. મિત્ર જ એક વ્યક્તિ હોય છે જે તમને તમારા કરતા સારી રીતે ઓળખે છે. આવતી કાલે Friendship Day છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્ર, મિત્રતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની જાણ તમને હોય તો અમને કમેન્ટમાં જણાવજો. 



ચાલો દોસ્તીની વ્યાખ્યાથી અવગત કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


ના તોલી શકાય એવું અતુલ્ય રતન છે મિત્ર

લોહીના સંબંધથી ગહેરો સંબંધ છે દોસ્તી

બેકદર દોસ્તોને વીતેલા સમયની કદર કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


સ્વાર્થ વગરનો એક નિ:સ્વાર્થ પ્રેમ છે મિત્ર

જીત હારથી ઉપરનો જુગાર છે મિત્ર

ભુલાઈ ગયેલા સમયને ફરી સ્મરણ કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


ખોવાયેલ પાનામાં ખુશીઓનો સમય છે મિત્ર

ના ભૂલી શકાય એવી યાદોની ભવર છે મિત્ર

સમય સાથે ભુલાયેલી યાદો આઝાદ કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


દુ:ખની ક્ષણોમાં સુખદ અહેસાસ છે મિત્ર

તકલીફની પળોમાં જીવન કેરો શ્વાસ છે મિત્ર

સમજણ વિશ્વાસના અતૂટ તારથી સજાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે