Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - પ્રભુને એક પત્ર લખ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-27 17:19:36

ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે.. આપણે પૂછેલા પ્રશ્નોનો ઉત્તર તે પોતાની રીતે, સાવ અલગ રીતે આપે છે પરંતુ તે જવાબ આપે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના પ્રભુને કાગળ... આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


આજ પ્રભુને એક કાગળ લખ

એમાં સુખ દુ:ખને આગળ લખ


આંસુમાં બોળેલી ઝાકળ લખ

થોડી તારા મનની અટકળ લખ


તારા અસ્તિત્વના કારણ લખ

જીવનમાં આવતા મારણ લખ


તારી અભિલાષાના તારણ લખ

તારી જિજ્ઞાસાના ઉદાહરણ લખ


મનના અગણિત પ્રશ્નોનું નામું લખ,

એકાદ તો નામજોગ કારનામું લખ


બધુ પતે એટલે એક સરનામું લખ

લે લખાવું તારૂં પોતાનું મન.. લખ




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.