Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - પ્રભુને એક પત્ર લખ


  • Published By :
  • Published Date : 2024-07-27 17:19:36

ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે.. આપણે પૂછેલા પ્રશ્નોનો ઉત્તર તે પોતાની રીતે, સાવ અલગ રીતે આપે છે પરંતુ તે જવાબ આપે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના પ્રભુને કાગળ... આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


આજ પ્રભુને એક કાગળ લખ

એમાં સુખ દુ:ખને આગળ લખ


આંસુમાં બોળેલી ઝાકળ લખ

થોડી તારા મનની અટકળ લખ


તારા અસ્તિત્વના કારણ લખ

જીવનમાં આવતા મારણ લખ


તારી અભિલાષાના તારણ લખ

તારી જિજ્ઞાસાના ઉદાહરણ લખ


મનના અગણિત પ્રશ્નોનું નામું લખ,

એકાદ તો નામજોગ કારનામું લખ


બધુ પતે એટલે એક સરનામું લખ

લે લખાવું તારૂં પોતાનું મન.. લખ




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.