Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - પ્રભુને એક પત્ર લખ


  • Published By :
  • Published Date : 2024-07-27 17:19:36

ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે.. આપણે પૂછેલા પ્રશ્નોનો ઉત્તર તે પોતાની રીતે, સાવ અલગ રીતે આપે છે પરંતુ તે જવાબ આપે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના પ્રભુને કાગળ... આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


આજ પ્રભુને એક કાગળ લખ

એમાં સુખ દુ:ખને આગળ લખ


આંસુમાં બોળેલી ઝાકળ લખ

થોડી તારા મનની અટકળ લખ


તારા અસ્તિત્વના કારણ લખ

જીવનમાં આવતા મારણ લખ


તારી અભિલાષાના તારણ લખ

તારી જિજ્ઞાસાના ઉદાહરણ લખ


મનના અગણિત પ્રશ્નોનું નામું લખ,

એકાદ તો નામજોગ કારનામું લખ


બધુ પતે એટલે એક સરનામું લખ

લે લખાવું તારૂં પોતાનું મન.. લખ




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે