Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - લોક જુદા, ભાર એના એ જ છે...


  • Published By :
  • Published Date : 2024-08-08 18:32:17

અલગ માણસની અલગ કહાણી હોય છે.. જીવનને જોવાની ટેવ બધાની જુદી હોય છે. સ્વપ્ન ભલે લોકોના એકબીજાથી જુદા હોય છે પરંતુ જે આંખોમાં સ્વપ્ન જોવા મળે છે તે આંખનો વિસ્તાર એક સરખો જ હોય છે. શરીરના રંગ ભલે એક હોય છે પરંતુ મૃત્યુના આકાર સરખા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દર્શક આચાર્યની રચના...



લોક જુદા, ભાર એના એ જ છે,

શ્વાસ જુદા, સાર એના એ જ છે.


રંગજીવનના ભલે જુદા હતા,

મૃત્યુના આકાર એના એ જ છે.


સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,

આંખના વિસ્તાર એના એ જ છે.


ફેરવી લીધું ભલે મોં એમણે,

આપણા વે’વાર એના એ જ છે.


આપણા ઝખ્મો ભલે જુદા હતા,

દિલ ઉપરના વાર એના એ જ છે.


દર્શક આચાર્ય



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે