Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?


  • Published By :
  • Published Date : 2024-11-08 13:46:36

આપણામાંથી અનેક લોકો એવા હશે જે પૈસાને પરમેશ્વર માનતા હશે. પૈસાદાર લોકો સાથે જ સંબંધો રાખવાનું પસંદ કરે છે... જે લોકો પાસે ઓછા પૈસા હોય છે અથવા તો ગરીબ હોય છે તેમની સાથે સંબંધો રાખવામાં તેને interest નથી હોતો...  પરંતુ અનેક લોકો એવા હોય છે જે પ્રકૃતિને જ ઉચ્ચ સ્થાન આપે છે... પ્રકૃતિ સાથે તે જોડાયેલા હોય છે.. એવા માણસોને મળવાનું પસંદ કરે છે જે દિલના સાફ હોય છે.... ઈશ્વર પર ભરોસો રાખતા હોય છે... રોજનું ઈશ્વર પૂરું કરાવે છે તેનો તે આભાર માનતા હશે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના... આ રચના અનેક લોકોને ખબર હશે.... 



કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેન્ક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.


ધૂળિયે મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ,

સુખ-દુઃખોની વારતા કહેતા, બાથમાં ભીડી બાથ.


ખુલ્લાં ખેતર અડખે-પડખે માથે ભીડી આભ,

વચ્ચે એવું ગામડું બેઠું ક્યાં છે એવો લાભ?


સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,

દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત.


માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,

નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.


- મકરન્દ દવે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે