Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જગતના તાતને સમર્પિત રચના - હે જગતાત વંદુ તવ ચરણે, પુત્ર તું પનોતો ધરતી કેરું રતન


  • Published By :
  • Published Date : 2024-05-16 16:22:25

અનેક લોકો જમતા પહેલા અન્નને પ્રણામ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે.. ઈશ્વરનો આભાર માનતા હોય છે કે તેમની કૃપાથી આપણને અન્ન પ્રાપ્ત થયું.. ઈશ્વરનો તો આભાર માનવો જ જોઈએ પરંતુ સાથે સાથે એ ખેડૂતનો આભાર પણ માનવો જોઈએ જેમની મહેનતને કારણે આપણી થાળીમાં અન્ન આવ્યું છે.. અનેક કિસ્સાઓ આપણે જોયા હશે જેમાં લોકોનું પેટ ભરનાર ખેડૂતને ભૂખ્યા રહેવાનો વારો આવતો હોય છે... તેમના પરિવારના સભ્યોને ભૂખ્યા પેટે ઉંઘવાનો વારો આવતો હોય છે.. એક પાક પાછળ ખેડૂત પોતાનું સર્વસ્વ લગાવી દેતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જગતના તાતને સમર્પિત રચના... જો તમને ખબર હોય આ રચના કોની છે તો અમને કમેન્ટબોક્સમાં જણાવજો...



જેનાં ધૈર્ય, શૌર્ય, સંયમ, પરિશ્રમની કુદરત સદા કરે કસોટી

હે જગતાત વંદુ તવ ચરણે, પુત્ર તું પનોતો ધરતી કેરું રતન



પોઢેલું હોય જગત નિંદ્રામાં ભલે, તુજને નિત વહેલી પરોઢ

દિવાકરનાં રથલાની ગતિ માપવાં હળધરનાં હળ કરે ગમન



કંકર, પથ્થર, ધૂળને ઢેફા, કંટક કેરી કેડીઓ ચૂમે તવ ચરણ

ઉપજાવતો લીલું સોનુ માટી માંહેથી રગદોળી નિજનું તન



અન્નદાતા તું અમારો, વિપરીત પરિસ્થિતિમાં તું અમ આધાર

પાડી નિજ પરસેવો કરતો સદા પૃથ્વી તણાં બાળ કેરાં જતન



તવ પરિશ્રમે ધરણી લીલી ઓઢણી ઓઢી કરે કેવી કિલ્લોલ

હરી ભરી હરિયાળી તવ બળે 'દીપાવલી' ખેડૂતને કરે નમન



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.