Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત રચના - સદા તારી જ મમતા અમી હોય છે મા


  • Published By :
  • Published Date : 2024-05-13 16:16:06

ગઈકાલે મધર્સ ડેની ઉજવણી આપણે કરી.. માતા માટે જેટલું કહીએ, જેટલું લખીએ તેટલું ઓછું છે તેવું કહીએ તો તે અતિશયોક્તિ નથી.. માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. વાગ્યું બાળકને હોય અને દર્દ માતાને થાય છે.. બાળકની આસપાસ માતાનું આખું જીવન ફરતું રહેતું હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...


સદા તારી જ મમતા અમી હોય છે મા,

ખુશીથી કેટલા દુખો ખમી હોય છે મા..


કદી ના જાણ થાતી દર્દને ક્યાં છુપાવે, 

હંમેશા આંખમાં તારી નમી હોય છે મા..


ક્ષમા આપે સદા સૌને, દયાની મૂરત તું,

છબી તારી ખુદાને પણ ગમી હોય છે મા


દુવા તારી થતાં સંતાપ સર્વે ટળે જો,

વળી વાણી  સદા ગીતા સમી હોય છે મા


સદા વેઠી પરેશાની હસીને રહેતી

છતા રાખી ખુમારીને ભમી હોય છે મા


સહસાથી પચાવી લે નિરાશા સદાયે

ચહેરા પર હસી તો કાયમી હોય છે મા


જીવન આખું રસોડામાં વિતાવી જમાડે

વધેલું હોય બાકી એ જમી હોય છે મા..


આ રચના કોની છે એ ખબર નથી, જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો..  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.