Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના - તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-22 17:15:16

આપણે ત્યાં કહેવાય છે કે ઈશ્વરની ઈચ્છા હશે તો કામ થશે અને જો ઈચ્છા નહીં હોય તેની તો કામ નહીં થાય.. ઈશ્વર પર આસ્થા રાખનાર આપણે માણસો છીએ.. આપણે જીવીએ છીએ તો એ પણ ઈશ્વરની કૃપા છે તેવું માનનાર અનેક લોકો છે. હિંમત રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખી લોકો આગળ વધે છે. ભગવાન પર અપાર શ્રદ્ધા રાખનારા પણ અનેક હોય છે અને લોકો એવા હોય છે જે ઈશ્વરમાં ઓછું માને છે અથવા નથી માનતા.. કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય લોકો તેનો સહર્ષ સ્વીકાર કરે છે એમ માની કે આમાં પણ ભગવાને આપણા માટે સારૂં જ વિચાર્યું હશે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે;

શ્રદ્ધાપૂર્વક માથું ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


સારી નરસી વેળા આવે હિમ્મત રાખી આગળ વધજે

શ્વાસે શ્વાસે એને સ્મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


દરિયામાં ઝંઝા તોફાનો સાવ સહજ એ ઘટનાક્રમ છે

તું કેવળ જુસ્સાથી તરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જીવનમાં જે કંઇ મળશે એની ઈચ્છા છે સમજીને,

અંતે એના ચરણે ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જ્યાં પહોંચીને એવું લાગે પોતીકાં પણ આઘા ભાગે,

ત્યાંથી તુર્તજ પાછો ફરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જેવું છે એવું જાણીને, જીવન આખ્ખુએ માણીને,

મૃત્યુ આવે ત્યારે મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


તારું હોવું કેવળ એના આયોજનનો હિસ્સો ‘નાદાન’

સત કર્મોનું ભાથું ભરજે બાકી સઘળું ઈશ્વર કરશે.



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.