Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હાય અને હેલ્લોના હાહાકારમાં, સ્નેહ ભીના શબ્દો ગયા...


  • Published By :
  • Published Date : 2024-05-14 17:30:50

જેમ જેમ આપણે એડવાન્સ થઈ રહ્યા છીએ તેમ તેમ આપણી માતૃભાષાના અનેક શબ્દો પાછળ છૂટી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ઈન્ગલિશ ભાષાનું પ્રભુત્વ ધીરે ધીરે વધી રહ્યું છે.. ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું..    


આવો ગયું,

પધારો ગયું

અને નમસ્તે પણ ગયું,

"હાય" અને "હેલ્લો" ના હાહાકારમાં,

સ્નેહ ભીના શબ્દો ગયા.


મહેમાન ગયા,

પરોણા ગયા,

અને અશ્રુભીના આવકાર પણ ગયા,

"વેલ કમ" અને "બાય બાય" માં

લાગણીઓ તણાઈ ગયા.


કાકા ગયા,

મામા ગયા,

માસા ગયા,

અને ફુવા પણ ગયા,

એક "અંકલ" ના પેટમાં

એ બધા ગરકાવ થયા.


કાકી, મામી,

માસી, ફોઈ,

ને સ્વજનો વિસરાઈ ગયા,

એક "આંટી" માં બધાં સમાઈ ગયા.

કુટુંબ નામનો માળો તૂટ્યો,

પંખી બધા વેરવિખેર થયા,


હું ને મારા માં

બધા જકડાઈ ગયા.

હાલરડાંના હલ્લા ગયા,

લગ્નના ફટાણા ગયા,

ડીજે ને ડિસ્કોના તાન માં

બધા ગરકાઈ ગયા.


આઈસ્ક્રીમના આડંબરમાં

મીઠા ગોળ ને ધાણા ગયા.

લાપસી ગયા, કંસાર ગયા,

ખીર અને ખાજા ગયા,

"કેક" ના ચક્કરમાં

બધા ફસાઈ ગયા.


માણસ માંથી માણસાઇ

ને સંબંધ ગયા

ને કામપૂરતા માત્ર

મોબાઈલ નંબર રહી ગયા.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.