Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - તમે જિંદગીને વાંચી છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-04 18:17:59

જિંદગીને જીવવી ઘણી વખત એટલી સહેલી નથી હોતી જેટલી સહેલી આપણે માનતા હોઈએ છીએ.. ઉતાર ચઢાવ આપણા જીવનમાં આવ્યા કરતા હોય છે. અનેક પ્રકરણો જિંદગીની પુસ્તકોમાં એવા આવી જાય છે કે શું કરવું તેની ખબર ના પડે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મુકેશ જોષીની રચના - જિંદગીને વાંચી છે? 


સુખની આખી અનુક્રમણિકા

અંદર દુ:ખના પ્રકરણ

તમે જિંદગીને વાંચી છે?

વાંચો તો પડશે સમજણ


પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યા, જેમ ડચૂયા બાઝે

પથ્થરના વરસાદ વચાળે

કેમ બચાવો દર્પણ.. 

તમે જિંદગીને વાંચી છે?


હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક

તમે ફેરવો પાનાંને, એ પુસ્તકોમાંથી ગાયબ

ફાટેલા પાનાંનાં જેવા

ફાટી જાતાં સગપણ..

તમે જિંદગીને વાંચી છે?


આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે

લખે કિતાબો લાખે, પણ ના નામ છપાવે કશે

હશે કદાચિત લેખકજીને

પીડા નામે વળગણ..

તમે જિંદગીને વાંચી છે?


- મુકેશ જોષી 




ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.