Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - તમે જિંદગીને વાંચી છે?


  • Published By :
  • Published Date : 2024-07-04 18:17:59

જિંદગીને જીવવી ઘણી વખત એટલી સહેલી નથી હોતી જેટલી સહેલી આપણે માનતા હોઈએ છીએ.. ઉતાર ચઢાવ આપણા જીવનમાં આવ્યા કરતા હોય છે. અનેક પ્રકરણો જિંદગીની પુસ્તકોમાં એવા આવી જાય છે કે શું કરવું તેની ખબર ના પડે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મુકેશ જોષીની રચના - જિંદગીને વાંચી છે? 


સુખની આખી અનુક્રમણિકા

અંદર દુ:ખના પ્રકરણ

તમે જિંદગીને વાંચી છે?

વાંચો તો પડશે સમજણ


પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યા, જેમ ડચૂયા બાઝે

પથ્થરના વરસાદ વચાળે

કેમ બચાવો દર્પણ.. 

તમે જિંદગીને વાંચી છે?


હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક

તમે ફેરવો પાનાંને, એ પુસ્તકોમાંથી ગાયબ

ફાટેલા પાનાંનાં જેવા

ફાટી જાતાં સગપણ..

તમે જિંદગીને વાંચી છે?


આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે

લખે કિતાબો લાખે, પણ ના નામ છપાવે કશે

હશે કદાચિત લેખકજીને

પીડા નામે વળગણ..

તમે જિંદગીને વાંચી છે?


- મુકેશ જોષી 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે