Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કોઈ શું કરે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-12 18:20:09

ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે પોતાના માટે પોતે લડવું પડે છે. જો તમે પડી ગયા છો તો તમારે જાતે ઉઠવું પડશે, દુનિયા તમારી મદદ માટે આગળ નહીં આવે.. પોતાના કલ્યાણ માટે કામ પોતે જ કરવું પડશે.. જ્યાં સુધી આપણે પોતાની મદદ નથી કરતા ત્યાં સુધી ઈશ્વર પણ આપણી મદદ નથી કરતા તેવું આપણે સાંભળ્યું હશે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે આવી જ કંઈક વાત કરી રહી છે. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


તું જાતને ના જોતરે તો કોઈ શું કરે?

ચીલો નવો ના ચાતરે તો કોઈ શું કરે?


માંગે મદદ તો કોઈ પણ રસ્તો ચીંધી શકે,

તુજને અહમ જો આંતરે તો કોઈ શું કરે?


જ્યાં ખાતરી કે પ્રેમથી દુનિયા ઝુકી જશે,

ત્યાં તુ ઘૃણાને નોતરે તો કોઈ શું કરે?


ચ્હેરા ઉપર તો સાચનો અભિનય ચમકચમક

પળવાળમાં જૂઠો ઠરે તો કોઈ શું કરે?


જીવનના ચક્રવ્યૂહમાં તું તો નવોસવો

કિસ્મત ઉપરથી છેતરે તો કોઈ શું કરે?


રણને તરસ છે એવી કે વરસાદ ભીંજવે

પણ થોર સઘળે વિસ્તરે તો કોઈ શું કરે?



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.