Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયા પર આધારીત રચના - એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી...


  • Published By :
  • Published Date : 2024-05-02 17:06:01

સોશિયલ મીડિયા પર આજકાલ લોકો વધારે એક્ટિવ થઈ ગયા છે... જેટલી વાતો સામે બેઠેલા માણસ સાથે નથી કરતા તેના કરતા વધારે વાતો દૂર બેઠેલા લોકો સાથે કરતા થઈ ગયા છે.. મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ આપણે કે આપણી આસપાસ શું થાય છે તેની પણ ખબર નથી હોતી... સોશિયલ મીડિયાની અલગ જ દુનિયા હોય તેવું લાગે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાને સમર્પિત એક રચના..  



ચહેરાની કોઈ ચોપડી હોતી નથી,

છતાં આ ફેસબુક કે વોટ્સએપ છે.


પોસ્ટ ઓફિસ અહીં હોતું નથી,

છતાં લોકો પોસ્ટ કરે છે.


રૂબરુ કોઈને અહીં મળતું નથી,

તોય સૌનું અહીં ગ્રુપ છે.


ભણવાની અહીં કોઈ નિશાળ નથી,

તોયે અહીં એડમીન છે.


કોઈનાં પણ અહીં એવાં મકાન નથી,

તોય અહીં સૌની પોતાની વોલ છે.


કોઈ પશુ પંખી અહીં હોતાં નથી,

તોય સૌને પોતાની નેટ છે.


કામકાજનું અહીં કોઈ કારણ જ નથી,

તોયે અહીં એક્ટીવીટી છે.


કોઈપણ અહીં નોકરી તો કરતું નથી,

તોયે દરેકની પ્રોફાઈલ છે.


ગામનો અહીં કોઈ ચોરો હોતો નથી,

તોયે પણ અહીં ચેટ છે.


પોતાના મોઢાં અહીં કોઈ જોતા નથી,

તોયે પણ ઈમોજી અનેક છે.


એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી,

તોયે લાઈક ડીસલાઈક અનેક છે.


ઝેરોક્ષની અહીં કોઈ એવી દુકાન નથી,

તોયે કોપી પેસ્ટ અનેક છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.