Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હું તો મૌનની ધારદાર


  • Published By :
  • Published Date : 2024-10-01 16:35:53

શબ્દો શણગારી પણ શકે છે અને શબ્દો બાળી પણ શકે છે.. શબ્દો પાસે એટલી તાકાત રહેલી છે.. અનેક લોકો એવા હોય છે જો તેમને આપણે સમજાવીએ તો સામે તે આપણને સમજાવા લાગે... પોતાની અલગ જ દુનિયામાં તે લોકો જીવતા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આવી જ કંઈ રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...   


બૂઠાં પડે તમારાં વાક્યોને શબ્દો

હું તો મૌનની ધારદાર તલવાર છું...


રાખો તમે મંતવ્યો તમારા ખુદની પાસે 

હું તો ખુદના બહુમતની સરકાર છું...


બાંધી ન શકો બેડીમાં મને

હું તો અગણિત અકળ આકાર છું..


અપાર શક્તિને પચાવીને શાંત રહે

હું બસ તે જ વાવાઝોડાનો પ્રકાર છું


નકશો મારો શોધવા ન મથશો તમે

હું તો ચંદ્રનો વણખેડ્યો વિસ્તાર છું


હું જ એક છું, હું જ અનેક હજાર છું

અશક્ય બનાવે શક્ય, હું તે જ ચમત્કાર છું..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે