Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હું તો મૌનની ધારદાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-01 16:35:53

શબ્દો શણગારી પણ શકે છે અને શબ્દો બાળી પણ શકે છે.. શબ્દો પાસે એટલી તાકાત રહેલી છે.. અનેક લોકો એવા હોય છે જો તેમને આપણે સમજાવીએ તો સામે તે આપણને સમજાવા લાગે... પોતાની અલગ જ દુનિયામાં તે લોકો જીવતા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આવી જ કંઈ રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...   


બૂઠાં પડે તમારાં વાક્યોને શબ્દો

હું તો મૌનની ધારદાર તલવાર છું...


રાખો તમે મંતવ્યો તમારા ખુદની પાસે 

હું તો ખુદના બહુમતની સરકાર છું...


બાંધી ન શકો બેડીમાં મને

હું તો અગણિત અકળ આકાર છું..


અપાર શક્તિને પચાવીને શાંત રહે

હું બસ તે જ વાવાઝોડાનો પ્રકાર છું


નકશો મારો શોધવા ન મથશો તમે

હું તો ચંદ્રનો વણખેડ્યો વિસ્તાર છું


હું જ એક છું, હું જ અનેક હજાર છું

અશક્ય બનાવે શક્ય, હું તે જ ચમત્કાર છું..



નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.

છોટા ઉદેપુરને પ્રકૃતિએ ઘણું બધું આપ્યું છે.... પ્રાકૃતિક સૌંદર્ય તો છે પંરતુ ત્યાં સુવિધાઓ નથી.. એવી સુવિધાઓ જે આપણા માટે એકદમ સામાન્ય હોય.. લોકોને અવર જવર કરવી હોય ત્યારે એવા એવા વિસ્તારોમાંથી પસાર થવું પડે કે આપણને વિચાર આવે કે દરરોજ આવા વિસ્તારથી કેવી રીતે પસાર થવું..

શબ્દો શણગારી પણ શકે છે અને શબ્દો બાળી પણ શકે છે.. શબ્દો પાસે એટલી તાકાત રહેલી છે.. અનેક લોકો એવા હોય છે જો તેમને આપણે સમજાવીએ તો સામે તે આપણને સમજાવા લાગે