Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આંસુ તો આંસુ છે,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-10 18:44:53

ઘણી વખત આપણે બહુ દુ:ખી હોઈએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. જ્યારે કોઈને આપણે આપણી વેદના કહેતા હોઈએ તો પણ આંખો ભરાઈ આવે છે. પરંતુ અનેક વખત બને છે કે કોઈ આપણી સામે હોય ત્યારે આંસુ ના આવે.. આંસુને એકદમ પવિત્ર માનવામાં આવે છે.. આંખોમાંથી નીકળતા આંસુ એ હૃદયની વાણી હોય છે. કોઈ વખત હરખના આંસુ નીકળે તો કોઈ વખત પીડાના આંસુ નીકળે.. દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે નીકળતા આંસુમાં અત્યંત પીડા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના આંસુની.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...


આંસુ તો આંસુ છે,

એ ફક્ત નથી પાણી

એ તો છે હૃદયની વાણી


બચપણમાં રમકડાની જિદ માટેના આંસુ

જિદ પૂરી કરવાનું હથિયાર છે

જવાનીમાં કોઈ માટે વિરહના આંસુ

કોઈની યાદનું નજરાણું છે


કન્યા વિદાય વખતના આંસુ

પિતાની નજરથી દીકરી થવાના પીડાના આંસું હોય છે

હોય આંસુ એક સરખા

પણ ભાવ અલગ અલગ છે


ક્યારેક ખુશીના હોય આંસુ

તો ક્યારેક ઉદાસીના હોય આંસુ

ક્યારેક જુદાઈના હોય આંસુ

તો ક્યારેક મિલનના હોય આંસુ


ક્યારેક સફળતા લાવે આંખમાં આંસુ તો 

ક્યારેક નિષ્ફળતાની પીડા આપે આંસુ

આંસુ તો આંસુ છે

પછી સુખનાં હોય કે દુ:ખના


ભીતર પીડાઓનો સમંદર ઘૂઘવતો હશે

એટલે જ કદાચ ખારા હશે આંસુઓ

ક્યારેક સ્વજનની વિદાયથી આવતા આંસુ

સંસ્મારણોથી વ્યક્ત થાય આ આંસુ



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.