Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના - લહેર પડી ગઈ યાર!


  • Published By :
  • Published Date : 2024-08-20 16:53:25

જો આપણે સારી રીતે રાત્રે ઉંઘી શકતા હોઈએ છીએ, ખડખડાટ હસી શકતા હોઈ શકીએ તો તેને ઈશ્વરની કૃપા માનવી જોઈએ.. અનેક લોકો કહેતા હોય છે કે ઈશ્વરની કૃપા છે એટલે તેમનું જીવન સારી રીતે ચાલે છે. મન અશાંત રહ્યા વગર શાંત રહી શકતું હોય તો ઈશ્વરની કૃપા મનાય. રોગ કે માથા પર દેવું ના થયું હોય તો ઈશ્વરની કૃપા માનવી જોઈએ. ઈશ્વરની કૃપા હોય તો જ માણસ સારી રીતે જીવી શકે તેવું માનનારા લોકો આજે પણ છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના - લહેર પડી ગઈ...  



મારું મન

વિપરીત સ્થિતિમાં પણ

શાંત રહી શકતું હોય


હું ખડખડાટ

હસી શકતો હોઉં

અને

ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં


મને ભૂખ

અને થાક

અને પ્યાસ

લાગી શકતાં હોય


મહારોગ

કે

દેવું ન હોય


મારું પોતાનું એક ઘર હોય

અને

એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી

ખાઈ શકતો હોઉં


વ્હીસ્કીનો એક પેગ લઈને

શનિવારની સાંજે

મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને

પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં


તો


થૅંક યૂ, ગૉડ !

મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!


અને

જીવનના છેલ્લા દિવસ

સુધી બસ આટલું રહી શકે તો..


મરતી વખતે હું કહીશ..

લહેર પડી ગઈ, યાર !


– ચંદ્રકાંત બક્ષી




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે