Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જીવનને સમર્પિત રચના - આશા અરમાનો જગાવી જીવતાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-03 17:23:20

જીવનને માત્ર અમુક લોકો જ જીવતા હોય છે, બાકીના લોકો તો જીવનને પસાર જ કરતા હોય છે. જીવનને બોજાની જેમ જોતા હોય છે. જીવનમાં તેમને ગમે તેટલું સારૂં કેમ ના હોય તો પણ તેમને ઓછું જ લાગે છે.. સંવેદનાઓ પણ અનેક લોકોની મરી પરવારી હોય છે. સાહસ કરવાની પણ હિંમત તેમનામાં રહેતો નથી. દિલ તો હોય પરંતુ તેમનામાં લાગણી ના હોય, હૃદય પત્થર બની જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જીવતાં...  આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


આશા અરમાનો જગાવી જીવતાં

વેદના મનની દબાવી જીવતાં..


આખરી સાંસો ભરે સંવેદના

કર્મને દાગો લગાવી જીવતાં


કેટલા સાહસ કરાવે જિંદગી

જાતને માથે ચડાવી જીવતાં


પત્થરો જેવા બનાવી દાળજા,

આગમાં ઘરને જલાવી જીવતાં


ભીતરે દાબી હૃદયના ઘાવને

બાળતાં સદમાં ઉઠાવી જીવતાં


વેઠવાને પીડ કઈ ઓછી નથી

દુ:ખમાં પણ મન મનાવી જીવતાં


યાર પણ યારી નભાવી ના શકે

ને ઘણું માસૂમ છુપાવી જીવતાં



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.