Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-04 18:20:17

અનેક લોકો એવા હોય છે જેમને જીવનમાં ક્યાં જવું છે તેની ખબર નથી હોતી. જીવનના લક્ષ્યની ખબર નથી હોતી એટલા માટે તે ભટકતા રહે છે, દિશાહીન હોય છે. જીવનમાં કંઈક કરવું હોય છે પરંતુ શું તેની જાણ નથી હોતી.. નક્કી કરવાની ક્ષમતા જ અનેક માણસોમાંથી ખતમ થઈ ગઈ હોય તેવું લાગે છે. કંઈના કરે તો પણ જીંદગી તો ચાલે પરંતુ બેસી ક્યાં સુધી રહેવું તેની ખબર હોવી જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગૌરાંગ ઠાકરની રચના.. 



સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,

બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.


આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,

ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?


કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?

તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.


આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,

કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.


રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,

મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.


હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?

આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.


છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,

જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.


– ગૌરાંગ ઠાકર



કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડતા તમે અવાર નવાર જોયા હશે, પરંતુ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અનેક દારૂની બોટલો મળી આવી હતી.

જમ્મુ કાશ્મીરને લઈ કોંગ્રેસ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના બે નેતાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.. એક છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને બીજા છે જિગ્નેશ મેવાણી.. ગુજરાતના આ બંને નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે.. કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે અને હવે અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થઈ ગયા છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે અરવિંદ કેજરીવાલ પણ કેટલીક શરતો સાથે..

મોડાસાના નૈનિલભાઈએ અનેક સવાલો કર્યા... આનો જવાબ તમારી પાસે છે?