Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,


  • Published By :
  • Published Date : 2024-09-04 18:20:17

અનેક લોકો એવા હોય છે જેમને જીવનમાં ક્યાં જવું છે તેની ખબર નથી હોતી. જીવનના લક્ષ્યની ખબર નથી હોતી એટલા માટે તે ભટકતા રહે છે, દિશાહીન હોય છે. જીવનમાં કંઈક કરવું હોય છે પરંતુ શું તેની જાણ નથી હોતી.. નક્કી કરવાની ક્ષમતા જ અનેક માણસોમાંથી ખતમ થઈ ગઈ હોય તેવું લાગે છે. કંઈના કરે તો પણ જીંદગી તો ચાલે પરંતુ બેસી ક્યાં સુધી રહેવું તેની ખબર હોવી જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગૌરાંગ ઠાકરની રચના.. 



સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,

બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.


આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,

ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?


કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?

તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.


આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,

કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.


રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,

મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.


હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?

આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.


છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,

જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.


– ગૌરાંગ ઠાકર



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે