Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - નથી ગમતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-20 15:58:31

જ્યારે સહારો જોઈતો હોય ત્યારે લોકો સહારો નહીં માત્ર વાતો કરતા હોય છે.. જૂઠ્ઠા દિલાસાઓ આપતા હોય છે કે અમે તમારી સાથે છીએ.. પરંતુ વાસ્તવિક્તામાં એ આપણને મદદ નથી કરતા.. અનેક કિનારાઓ એવા હોય છે જે આપણને પસંદ નથી હોતા.. દુ:ખ અને દર્દ જ મળે છે કિનારા પર આવ્યા પછી.. અડગ વિશ્વાસ હોય છે પોતાની પર.. જ્યાં સુધી મંજિલ પર નથી પહોંચતા ત્યાં સુધી તેમને ચેન નથી પડતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના નથી ગમતા.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


મને આ દિલ તણાં જૂઠા સહારાઓ નથી ગમતા

અને આ વિરાન બાગોના નઝારાઓ નથી ગમતા


બહેતર છે ડૂબી જવું, મઝધારે તોફાનોમાં

દુ:ખો અને દર્દ મળે એવા કિનારાઓ નથી ગમતાં.


રોઈ રોઈ ભરી લેજો દામન આ મહોબ્બતનું

જૂઠી યાદોને આશાના મિનારા નથી ગમતાં


અમે બસ ચાલતા રહીશું અડગ વિશ્વાસે મંઝિલના 

ન અમને રોકશો કોઈ, આ ઉતારાઓ નથી ગમતા


અમુલ્ય આ ઝિંદગીની અવદશા છે કેવી?

ફૂલોને પણ કાંટાના પનારાઓ નથી ગમતા




જ્યારે સહારો જોઈ તો હોય ત્યારે લોકો સહારો નહીં માત્ર વાતો કરતા હોય છે.. જૂઠ્ઠા દિલાસાઓ આપતા હોય છે કે અમે તમારી સાથે છીએ.. પરંતુ વાસ્તવિક્તામાં એ આપણને મદદ નથી કરતા.. અનેક કિનારાઓ એવા હોય છે જે આપણને પસંદ નથી હોતા.

એક મંદિર જ્યાં લાખો-કરોડો ભક્તો દર્શન કરે છે...દુનિયાભરના લોકોની આસ્થાનું કેન્દ્ર છે... જ્યાં પ્રભુના સન્મુખ થવા માટે પણ કલાકો નીકળી જાય છે... ધર્મસ્થાનોમાં ઇશ્વરની પૂજા-અર્ચના બાદ પ્રસાદનો પણ અનેરો મહિમા હોય છે. પ્રસાદને લોકો ખૂબ જ પ્રેમભાવથી ગ્રહણ કરતા હોય છે

રાજ્યમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેને કારણે એવું લાગતું હતું કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે... ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે..

આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના