Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આપણી સામે અલગ ને લોકો સામે અલગ...


  • Published By :
  • Published Date : 2024-04-20 18:02:17

માણસની પરિસ્થિતિ જેમ જેમ બદલાય છે તેમ તેમ તેની સાથે સંબંધ રાખતા લોકોના વ્યવહાર પણ બદલાય છે.. માણસનો વ્યવહાર તો બદલાય છે પરંતુ માણસમાં રહેલી માણસાઈને પણ બદલાતા વાર નથી લાગતી.! ઘણી વખત બનતું હોય છે કે માણસ આપણી સામે અલગ હોય છે અને બીજાની સામે હોય છે.. દુનિયાની ફાલતુ પંચાતમાં અનેક લોકો જીવનને વેડફી નાખતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના જેમાં તે સંબોધની વાત કરી રહ્યા છે...


શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, 

માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...


આપણી સામે અલગ ને લોકો સામે અલગ, 

બદલાતા માણસની જાત નથી ગમતી મને..


અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.? 

દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...


પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, 

દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...


જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,

એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...


જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,

સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...


- બેફામ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.