Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના - દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો....


  • Published By :
  • Published Date : 2024-02-29 15:13:16

આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે દરિયા-દરિયા કાંઠો બહુ ગમતો હોય છે. દરિયામાં જવું, દરિયા કિનારા પર કલાકો સુધી બેસી રહેવું તે તેમને ગમતું હોય છે. દરિયા કિનારા પર બેસીને મનને અલગ પ્રકારની શાંતિ મળે છે. એમ પણ પ્રકૃતિની સાથે રહીએ તો આપણે પ્રફૂલિત રહીએ છીએ. નદીઓ દરિયામાં મળી જાય છે, પરંતુ દરિયો ક્યાં જાય છે? ત્યારે દરિયાને લઈ ગુજરાતી સાહિત્યમાં લખાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે સમર્પિત છે અમૃત ઘાયલની રચના...   


દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો...


કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,

મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.


દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,

અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.


કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?

લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.


ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !

નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.


પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !

કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !


જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,

કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !


ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,

કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.


બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,

નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!


ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,

દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !


– અમૃત ‘ઘાયલ’  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.