Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!


  • Published By :
  • Published Date : 2024-04-22 17:10:58

આપણે કહીએ છીએ કે સમય બહુ બળવાન છે.. આ પછીની ક્ષણ પછી શું થવાનું છે તેની ખબર નથી.. આવતી કાલની ચિંતામાં આપણે આજને માણવાનું ભૂલી જઈએ છીએ.. સામાન્ય રીતે આ રચનામાં ભગવાન રામ તેમજ મહાભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ આજે આ કવિતાને સુરતના સંદર્ભમાં જોવી છે..! સુરતમાં મતદાતાઓને હતું કે તેઓ લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે પરંતુ આજે તો સુરત લોકસભા બેઠક પર મતદાન વગર સાંસદ મળી ગયા...  



થવાનું  ના થવાનું   કહે, નજૂમી  કોણ  એવો   છે?

ન   જાણ્યું   જાનકીનાથે   સવારે   શું    થવાનું છે!


હતો  લંકેશ   બહુબળિયો, થયો   બેહાલ  ના જાણ્યું.

જગત સૌ  દાખલા  આપે, સવારે   શું   થવાનું છે?


જુઓ   પાંડવ  અને કૌરવ, બહુબળિયા ગણાયા છે.

ન  જાણ્યું ભીષ્મ  જેવાએ    સવારે   શું  થવાનું છે?


થઈ  રાજા  રમ્યા જૂગટું, ગુમાવ્યું પત્નિ  સૌ સાથે,

ન   જાણ્યું ધર્મ   જેવાએ  સવારે  શું    થવાનું છે?


અરે!થઈ  નારી  શલ્યા તે કહો શું  વાત છાની છે?

જણાયું  તે  ન   ગૌતમથી  સવારે   શું થવાનું છે?


સ્વરૂપે   મોહિની   દેખી   સહુ   જન  દોડતાં ભાસે,

ભૂલ્યા યોગી   થઈ  ભોળા   સવારે   શું થવાનું છે.


હજારો   હાય નાખે છે, હજારો   મોજમાં  મશગુલ,

હજારો  શોચમાં  છે    કે    અમારું   શું થવાનું છે?


થવાનું તે  થવા દેજે   ભલે  મનમસ્ત  થઈ  રહેજે,

ન   જાણ્યું    જાનકીનાથે  સવારે   શું   થવાનું છે?




ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.