Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?


  • Published By :
  • Published Date : 2024-05-27 15:41:22

રાજકોટમાં શનિવાર સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ.. 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. આ ઘટના બાદ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે... આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવશે, રિપોર્ટ આપવામાં આવશે.. સવાલ એ થાય કે એસઆઈટીનું ઘટન અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે... એ મોરબીની દુર્ઘટના હોય કે પછી સુરતમાં બનેલી ઘટના હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મનોજ સંતોકીની..   



થોડો સમય જવાદો થઈ જશે લાશના સોદા,

દલાલોની વસ્તી છે આ, કરશે શ્વાસના સોદા.


મોરબીનું માતમ, સુરતમાં સળગતો આતમ,

ટેબલ નીચે થાય છે પ્રજાના વિશ્વાસના સોદા.


હરણીમાં ડૂબ્યા ભૂલકા, રાજકોટમાં સળગે,

અંધકારનો રખેવાળ કરી રહ્યો ઉજાસના સોદા.


આ લોકતંત્રની ખુરશીના પાયા માંગે છે રક્ત,

તડપાવી મારશે એ, કરશે તમારી પ્યાસના સોદા.


નહીં છોડવામાં આવે કોઈને, પૈસા આપ્યા વગર,

હેવાન બનેલ લોકો કરે, આંખની ભીનાશના સોદા.


રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?

મનોજ અહીં બંડલો ફેંકી થાય છે તપાસના સોદા.

મનોજ સંતોકી


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.