Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-27 15:41:22

રાજકોટમાં શનિવાર સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ.. 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. આ ઘટના બાદ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે... આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવશે, રિપોર્ટ આપવામાં આવશે.. સવાલ એ થાય કે એસઆઈટીનું ઘટન અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે... એ મોરબીની દુર્ઘટના હોય કે પછી સુરતમાં બનેલી ઘટના હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મનોજ સંતોકીની..   



થોડો સમય જવાદો થઈ જશે લાશના સોદા,

દલાલોની વસ્તી છે આ, કરશે શ્વાસના સોદા.


મોરબીનું માતમ, સુરતમાં સળગતો આતમ,

ટેબલ નીચે થાય છે પ્રજાના વિશ્વાસના સોદા.


હરણીમાં ડૂબ્યા ભૂલકા, રાજકોટમાં સળગે,

અંધકારનો રખેવાળ કરી રહ્યો ઉજાસના સોદા.


આ લોકતંત્રની ખુરશીના પાયા માંગે છે રક્ત,

તડપાવી મારશે એ, કરશે તમારી પ્યાસના સોદા.


નહીં છોડવામાં આવે કોઈને, પૈસા આપ્યા વગર,

હેવાન બનેલ લોકો કરે, આંખની ભીનાશના સોદા.


રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?

મનોજ અહીં બંડલો ફેંકી થાય છે તપાસના સોદા.

મનોજ સંતોકી


આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.