Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કવિ દાદની રચના - આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક..


  • Published By :
  • Published Date : 2024-07-03 18:16:17

આપણી ભારત ભૂમિ વંદનીય છે... ઈતિહાસમાં અનેક એવી ઘટનાઓ ઘટી છે જેને લઈ લાગે કે આ ભુમિમાં દૈવત જેવું કંઈક છે.. મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કવિ દાદની રચના...     



આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક

વાવો મહાભારત અને ગીતા નીકળે


છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો

જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે


હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા

રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે


કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે

તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે


ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી

તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે


શુ તાસીર છે આ ભુમીની હજી રાજા

જનક જેવા હળ હાકે તો સીતા નીકળે


-કવિ દાદ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે