Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના - મારે પાછુું બાળક બનવું છે...


  • Published By :
  • Published Date : 2024-05-18 17:49:39

નાના બાળકોને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય.. આપણે પોતાના બાળપણના દિવસો યાદ કરવા લાગીએ.. શાળામાં અમે આવી મસ્તી કરતા હતા, આવી રીતે દોસ્તો સાથે ફરવા જતા હતા તેવી વાતો મોટાના મોઢે અનેક વખત સાંભળી હશે. નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના...      


મારે પાછુું બાળક બનવું છે...

એ શાળાએ જતા જતાં મારે મને ભરીને રડવું છે

પેલા મોટા સાહેબનાં હાથમાં સોટી જોઈને, 

પાછા ઘર તરફ વળવું છે

મારે પાછું બાળક બનવું છે..


નાની સરખી વાતોમાં 

બધા સાથે લડવું છે,

પેલી પથ્થરની પાટીમાં હજૂ ઘણુંબધું , 

ચિતરવું છે 

મારે પાછું બાળક બનવું છે..


ખભા સાથે ખભો મિલાવીને 

એ ભાઈબંધો સાથે બે કદમ ચાલવું છે

એ વાતોનાં ખજાનાનું તાળું,

મારે ફરીથી ખોલવું છે

મારે પાછું બાળક બનવું છે


વરસતાએ વરસાદમાં મારે

મસ્ત થઈને નાચવું છે

માટીની સુગંધથી તનમન

તરબોળ કરી નાખવું છે

મારે પાછું બાળક બનવું છે


રડવું છે હસવું છે,

 ને હજી તો ઘણુંબધું જીવવું છે

 મતલબી દુનિયાને છોડી

મારાએ બાળપણને મળવું છે

મારે પાછું બાળક બનવું છે..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.