Gujarati Literature - સાહિત્યના સમીપમાં ખેડૂતને સમર્પિત છે રચના - છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-16 16:14:47

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નોનો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે.. તાપ હોય, વરસાદ હોય કે શિયાળો હોય ખેડૂતો પોતાના કામથી ક્યારેય પાછા નથી હટતા.. ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય તે અનાજ ઉગાડે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ખેડૂતને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


રાખમાંથી રોજ બેઠો થાઉં એવી જાત છું

સાવ મામુલી ના ગણશો હું જગતનો તાત છું..


ભૂખને, ભૂંડી તરસમાં તો ખપાવી જીંદગી,

ધોમધખતા તાપમાં શીતલ રહું એ વાત છું


છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો

ગોદ ધરતીની મળે નિરાંતની તો રાત છું


વાદળાની છે અદેખાઈ ને જામે માવઠું

હોઠ સુધી કોળિયો હોને મળે એ લાત છું


હોય છે ને આશ, એ તાકી રહેતી આંખમાં

પણ બજારે દામ આ મોલાત ના હું જ્ઞાત છું


વારસાઈમાં બળદ બે એક કેવળ કોશ છે

પણ મહેનતમાં જનાવર જેવડી હું નાત છું.


નીતઆમાં વાવણીનો જોગ હોવાનો નથી,

કુદરતનાં આ લખેલા નિયમે હું માત છું...



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.