Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના - નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-16 18:31:41

જ્યારે કોઈ અદ્ભૂત રચના આપણે વાંચીએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે કવિને આવા શબ્દો મળે છે ક્યાંથી.. કેટલો અનુભવ હશે, કેટલી દુનિયા તેમણે જોઈ હશે.. શબ્દો દ્વારા તે આપણને એક પ્રવાસ પર લઈ જાય છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના...  



નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,

ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.


પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,

મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.


સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,

જમાનો એને કવિનો ખયાલ સમજે છે.


આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,

કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?


હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,

આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.


મળે તો એમની આશાને સો સલામ કરું,

કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.


અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,

કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.


તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,

કે તું હવાને શિકારીની જાલ સમજે છે !


મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,

તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.


ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !

કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.


ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,

આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.



ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે... ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે.. બે 6ણ દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો તો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા

અનેક લોકો એવા હોય છે જે થોડું હાંસલ કરી છે પછી આગળ નથી વધતા.. ગતિમાન નથી રહેતા.. જીવનમાં તોફાનો હોય છે પરંતુ તેનાથી કેવી રીતે ઝઝુમવું તેની ખબર નથી હોતી.

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભાદરવા મહિનામાં અષાઢ મહિના જેવો વરસાદ વરસી રહ્યો છે... બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે..

દાહોદમાં 6 વર્ષની બાળકીને આચાર્યએ 6 વર્ષની બાળકી સાથે જબદસ્તી કરવાની કોશિશ કરી. આચાર્યે બાળકીને મોતને ઘાટ ઉતારી. પરિવારની માગ છે કે તેમને ન્યાય જોઈએ. ત્યારે ચૈતર વસાવા પરિવારને મળવા માટે પહોંચ્યા હતા.