Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના - હું ક્યાં કહું છું આપની...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-24 15:35:12

જ્યારે કોઈને ના પાડવાની આવે છે તે કામ સૌથી અઘરૂં સાબિત થાય છે અનેક લોકો માટે.. શું કહીને ના પાડવી તેની મુંઝવણ હોતી હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના હું ક્યાં કહું છું આપની...જો તમે ગુજરાતી રચનાના, ગઝલ, મુક્તક કે નજમના શોખીન હશો તો તમે આ રચના સાંભળી જ હશે...  


હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.


પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,

મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.


એવી તો બેદિલીથી મને માફ ના કરો,

હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.


આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,

હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.


મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,

નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.


ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,

એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.


પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,

એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.