Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-25 17:06:31

આપણે જેના માટે ઝંખતા હોઈએ છીએ તે ખુશી હોય છે.. ખુશી હોય તો જીવન જીવવા જેવું લાગે છે.. કોઈ પ્રેમ કરે તો આપણને જીંદગી જીવવા જેવી લાગે છે. પરંતુ જ્યારે પ્રેમી આપણને છોડીને જતો રહે ત્યારે? ખુશીના પળ ગમમાં ફેરવાતા વાર નથી લાગતી.. જેના માટે આપણે દુનિયાને છોડવા તૈયાર હોઈએ અને એ જ આપણને  છોડીને જતા રહે ત્યારે જે આપણી પર વિતે છે તે શબ્દમાં વર્ણવી શકાતું નથી.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના જેમાં તે જીવનની ફિલસૂફી સમજાવી રહ્યા છે..! 


જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,

જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.


આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !

તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.


દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,

જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.


દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,

મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.


કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,

કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.


કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,

રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.


એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,

મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.


– મરીઝ



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.