Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી...


  • Published By :
  • Published Date : 2024-05-25 17:06:31

આપણે જેના માટે ઝંખતા હોઈએ છીએ તે ખુશી હોય છે.. ખુશી હોય તો જીવન જીવવા જેવું લાગે છે.. કોઈ પ્રેમ કરે તો આપણને જીંદગી જીવવા જેવી લાગે છે. પરંતુ જ્યારે પ્રેમી આપણને છોડીને જતો રહે ત્યારે? ખુશીના પળ ગમમાં ફેરવાતા વાર નથી લાગતી.. જેના માટે આપણે દુનિયાને છોડવા તૈયાર હોઈએ અને એ જ આપણને  છોડીને જતા રહે ત્યારે જે આપણી પર વિતે છે તે શબ્દમાં વર્ણવી શકાતું નથી.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના જેમાં તે જીવનની ફિલસૂફી સમજાવી રહ્યા છે..! 


જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,

જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.


આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !

તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.


દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,

જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.


દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,

મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.


કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,

કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.


કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,

રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.


એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,

મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.


– મરીઝ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.