Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મનોજ ખંડેરિયાની રચના - એવું પણ બને...


  • Published By :
  • Published Date : 2024-05-22 16:47:48

કવિની કલમમાં એવી ચિન્ગારી હોય છે જે આપણને અંદરથી હચમચાવી દે છે.. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં જઈને પાછું વડવું પડે એવું પણ બને.. જિંદગીનો ઉપદેશ્ય શું એ શોધવામાં વર્ષોના વર્ષો લાગી જાય, આખી જિંદગી પસાર થઈ જાય અને જે આપણને જોઈતું હોય તે આપણી સામે હોય તેવું પણ બને.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મનોજ ખંડેરિયાની રચના - એવું પણ બને..   



પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ હાથ આખેઆખો બળે એમ પણ બને


જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને


એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?

એક પગ બીજા ને છળે એમ પણ બને


જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને


તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું

અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.