Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માધવ રામાનુજની રચના - એક એવું ઘર મળે આ વિશ્વમાં


  • Published By :
  • Published Date : 2024-06-27 17:20:45

ઘરને આપણે સ્વર્ગ માનીએ છીએ..બહાર જઈ ત્યાં ઘરની યાદ આવે છે.. થોડા દિવસ સુધી તો બહાર ગમે છે પરંતુ તે બાદ ધીમે ધીમે ઘરની યાદ આવવા લાગે છે.. જ્યારે ઘરે પહોંચીએ છીએ ત્યારે જે આનંદની અનુભુતિ થાય છે તે શબ્દોમાં વર્ણવી ના શકાય.. ઘર સાથે અનેક યાદો જોડાયેલી હોય છે. ઘરએ હોય જ્યાં નાનપણ વિતાવ્યું હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માધવ રામાનુજની રચના એક એવું ઘર મળે આ વિશ્વમાં... 


એક એવું ઘર મળે આ વિશ્વમાં

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું

એક એવું આંગણું કે જ્યાં મને

કોઈ પણ કારણ વગર શૈશવ મળે !


એક બસ એક જ મળે એવું નગર

જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

’કેમ છો?’ એવુંય ના કહેવું પડે

સાથ એવો પંથમાં ભવ ભવ મળે !


એક એવી હોય મહેફિલ જ્યાં મને

કોઈ બોલાવે નહિ ને જઈ શકું !

એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે

પાનખરના આગમનને રવ મળે !


તોય તે ના રંજ કૈં મનમાં રહે-

અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…..


– માધવ રામાનુજ 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે