Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ભાવનો ભૂખ્યો


  • Published By :
  • Published Date : 2024-07-25 17:44:46

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે. જેવી પરિસ્થિતિ તેવી ધર્મની વ્યાખ્યા. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના ભાવના ખૂભ્યા.. આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


જેને ઈશ્વરે આજે માણસ બનાવ્યો

તેણે ઈશ્વરને જ પછી કેદ કર્યો.


પોતાને અનુકુળ એવો અર્થ કરીને

ધર્મના મુળભુત અર્થને જ બદલ્યો


ધર્મના જુદા જુદા વાડા રચીને

ધર્મને નામે અંદરો અંદર ઝઘડ્યો


મનવાંછિત સઘળાભોગો ભોગવવા 

વેદ ઉપનિષદની સારી આજ્ઞાઓ ભૂલ્યો


મંદિરને જ એણે બનાવ્યું માર્કેટ

ને ઈશ્વરને લાંચ રૂપી પ્રસાદ ધર્યો


છે જેની પાસે જગ આખાનો ખજાનો

તેને ભીખારીની જેમ જ ઉભો રાખ્યો


સુખ મેળવવા લાઈનમાં ઉભેલા લોકોએ 

માગી માગીને એને થકવી નાખ્યો


જોઈએ ના કોઈ પાસેથી તેને જશ

છે માત્ર એ કેવળ ભાવ નો ભૂખ્યો..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે