Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના - તમને જરૂર છે ટેકાની ભાઇ મારા અમને જરૂર છે કેશની...


  • Published By :
  • Published Date : 2024-08-12 18:40:54

ભ્રષ્ટાચાર દેશમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નામનો સડો એ રીતે પેઠો છે કે તેનો જડમૂડથી નાશ કરવો જાણે અસંભવ લાગે છે.. કરપ્શન આજકાલ એકદમ નોર્મલ થઈ ગયું હોય તેવું લાગે.. જ્યારે કોઈ ઈમારત બનાવી હોય, બ્રિજ બનાવાનો હોય ત્યારે તેની ગુણવત્તા કરતા આપણને કેટલા પૈસા મળશે તેના વિચાર લોકો વધારે કરે છે.. વર્ષો સુધી આ વસ્તુ ચાલશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ માત્ર થોડા જ મહિનાઓની અંદર તે વસ્તુ ખરાબ થઈ જાય છે. પોતાના ખિસ્સા ભરવાના ચક્કરમાં ભ્રષ્ટાચારીઓ દેશને બરબાદ કરી રહ્યા છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના જેમાં તેમણે ભ્રષ્ટાચારને લઈ વાત કરી છે..  



તમને જરૂર છે ટેકાની ભાઇ મારા

અમને જરૂર છે કેશની (રોકડા ની) !

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા

આ વર્ષોની વાર્તાયું મેલો

સાત પેઢી નિરાંતે બેસીને ખાય

બસ એટલો જ ભરવો છે થેલો

દો’વા દે ત્યાં લગી જ

આરતીયું ઊતરે છે

કાળી ડિબાંગ આ ભેંશની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે

હવે ચોકમાં દાણા તો નાખો

ગમ્મે તે કામ કરો

અમને ક્યાં વાંધો છે ?

પણ આપણા પચાસ ટકા રાખો

ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર

આપી દ્યો એજન્સી ગેસની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ

વાગે છે નીત નવાં ઢોલ

જેને જે સોંપાશે એવો ને એવો

અહીં અદ્દલ ભજવશે ઇ રોલ

નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –

ભલે આપણે ત્યાં ભજવાતા વેશની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !


- કૃષ્ણ દવે 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે