Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે ખલીલ ધનતેજવીની રચના - ખલીલ, સૌમાં રહ્યો છે માણસ ને માણસાઈ મરી ચૂકી છે....


  • Published By :
  • Published Date : 2024-01-24 17:08:57

માણસને એક શક્તિ આપવામાં આવી છે પ્રશ્ન પૂછવાની.. માણસ તર્ક વિતર્ક કરી શકે છે અને તેથી જ તે બધાથી અલગ છે. માણસ જ્યારે વિચારવાનું બંધ કરી દે છે જે ત્યારે અનેક પ્રશ્નો ઉભા થાય છે. માત્ર પ્રશ્ન કરવાનો સવાલ નથી પરંતુ પ્રશ્ન કોની સામે કરો છો તે પણ અગત્યનું છે. અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે લોકોને મદદ કરવી જોઈએ, માણસાઈને જીવતી રાખવી જોઈએ વગેરે વગેરે... પરંતુ જ્યારે મદદની વાત આવે ત્યારે, અથવા તો માણસાઈ દેખાડવાની વાત આવે ત્યારે લોકો આગળ નથી આવતા. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ખલીલ ધનતેજવીની રચના પ્રસ્તુત કરવી છે.  

 

 

હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે


નદીને પૂછો, ગગનને પૂછો, ધરાને પૂછો શું પૂછવું છે,

હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે.


નથી અમે કંઈ અમારા ઘરમાં ઉછીનું અજવાળું લઈને બેઠા,

અમારા દીવા સળગતા રહેશે હવાને પૂછો શું પૂછવું છે.


અમારી નેકી-બદીનો આખો હિસાબ મોઢે કરી લીધો છે,

ઉઠો ફરીશ્તા, તમે તમારા ખુદાને પૂછો શું પૂછવું છે.


અમારા જખ્મો, અમારી પીડા, અમારી બીમારી ત્યાંની ત્યાં છે,

તબીબ પાસે જવાબ માગો, દવાને પૂછો શું પૂછવું છે.


સફર છે લાંબી ને રસ્તો ટૂંકો, છે રાત થોડી ને વેશ ઝાઝા,

કરી આ કોણે દશા અમારી દિશાને પૂછો શું પૂછવું છે.


દરેક વાતે કશુંક ખૂટે, વિચાર ટાંકો ને ટેભાં તૂટે,

યુગોથી બેઠી છે આ પનોતી, દશાને પૂછો શું પૂછવું છે.


ખલીલ, સૌમાં રહ્યો છે માણસ ને માણસાઈ મરી ચૂકી છે,

હયાતી પાસે જવાબ ક્યાં છે, ફનાને પૂછો શું પૂછવું છે.


– ખલીલ ધનતેજવી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.