Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે જુગલ દરજીની રચના - યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે


  • Published By :
  • Published Date : 2024-01-12 12:06:47

બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા શબ્દો હવે સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો છે જે બેરોજગારીનો સામનો કરી રહ્યા હશે. ભણતર હશે પરંતુ નોકરી નહીં મળતી હોય. અનેક લોકો હશે જે ભૂખ્યા હશે, અનેક બાળકો હશે જેમને બે ટાઈમ જમવાનું પણ નસીબ નહીં થતું હોય. ત્યારે સાહિત્યની સમીપમાં આજે જુગલ દરજીની રચના પ્રસ્તૂત કરવી છે. 


જુગલ દરજીની છે આ રચના 

જે રચના પ્રસ્તુત કરવામાં આવી છે તેમાં કવિ કયા વિષયો પર નથી લખી શકતો તેની વાત કરવાાં આવી છે. કવિના હાથ ત્યારે ધ્રુજે છે જ્યારે કવિ લૂલી સરકાર પર લખે છે, યુવા બેકાર પર જ્યારે કવિ લખે છે ત્યારે તેમનો હાથ ધ્રુજે છે તેવી વાત કવિ દ્વારા રજૂ કરવામાં આવી છે.      


કવિના હાથ ધ્રુજે છે...

ખડગની ધાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે,

લૂલી સરકાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.


યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે

ભૂખ્યા ઘરબાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે


એ સ્ત્રીઓના અલંકારો અને બસ રૂપ પર લખશે, 

પણ અત્યાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે


કે લીલી કૂપંળો 'ને કેસરી કળીઓ હણે એવી,

ખૂલી તલવાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.


ભલામણને ભઈબાપા કરી એવોર્ડ લીધા છે,

કે ભ્રષ્ટાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે... 


- જુગલ દરજી  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.