Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના - ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો


  • Published By :
  • Published Date : 2024-01-25 16:33:40

સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના પ્રસ્તુત કરવી છે જેમાં તે કહી રહ્યા છે કે વધુ પડતું કંઈ પણ સારૂ નથી હોતું. અતિશય વરસાદ પણ સારો નથી હોતો અને દુકાળ પણ સારો નથી હોતો. માપસરમાં રહેલી વસ્તુઓ જ કામની હોય છે તેવી વાત કવિ કરી રહ્યા છે. માણસના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હોય છે પરંતુ તેનો કોઈ અણસાર નથી હોતો.  


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;

અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.


તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?

ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.


અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,

બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો


હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,

ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો


જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને,

મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.


ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,

ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.


ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,

કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,

નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

– શેખાદમ આબુવાલા…



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.