Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના - વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


  • Published By :
  • Published Date : 2024-03-22 16:43:23

પાણી છે તો જીવન છે... પાણી અમુલ્ય છે તેને વેડફવું ના જોઈએ. પાણીનું મૂલ્ય શું છે તેની જાણ આપણને હોવી જોઈએ પરંતુ કમનસીબે આપણામાંથી અનેક એવા હશે જે પાણીને સમજ્યા વિચાર્યા વગર વાપરી દેતા હોય છે. પાણીની કિંમત કદાચ આપણને નથી કારણ કે આપણને પાણી સરળતાથી મળી જાય છે. પરંતુ પાણીના એક બુંદની કિંમત શું છે તે એ લોકોને પૂછો જેમને પાણી મેળવવા માટે સંર્ઘર્ષ કરવો પડે છે. આજે વિશ્વ જળ દિવસ છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના...   


વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

ભાંભરું તોયે ભીંજવે ભાવે,

વણબોલાવ્યું દોડતું આવે

હોય ભલે ના આંખની ઓળખ,

તાણ કરીને જાય એ તાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


જાય હિલોળા હરખે લેતું,

હેતની તાળી હેતથી દેતું.

હેત હરખની અસલી વાતું,

અસલી વાતું જાય ન નાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


આગવી બોલી બોલતું જાયે,

પંખી જેમ કલ્લોલતું જાયે,

ગુંજતું જાયે ફૂલનું ગાણું,

વેરતું જાયે રંગની વાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


સ્નેહનું પાણી શૂરનું પાણી,

પોતાના પ્રચંડ પૂરનું પાણી,

હસતું રમતું રણમાં દીઠું,

સત અને સિન્દૂરનું પાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


– અમૃત ‘ઘાયલ’



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.