Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - લોલીપોપની લ્હાણી


  • Published By :
  • Published Date : 2024-04-18 16:48:02

દેશમાં  આવતી કાલથી લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ જવાની છે. આવતીકાલે 102 બેઠકો માટે મતદાન થવાનું છે... મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે જેને સામાન્ય લોકો પોતાની ભાષામાં લોલીપોપ કહે છે...! ચૂંટણી સમયે અનેક લોકો એવા હોય છે જે નેતાજી દ્વારા કરવામાં આવતા પ્રચારને બારીકીથી નિરખતા હોય છે... 


ચૂંટણી નજીક આવતા કોઈ વખત નેતાજીની આંખોમાંથી આંસુ નિકળે છે તો કોઈ વખત કોઈ મંદિરની મુલાકાત નેતાઓ લઈ રહ્યા છે.. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ચૂંટણીને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે... આ રચના કોની છે તેની  ખબર નથી અને જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવો...       


લોલીપોપની લ્હાણી 

મગર આંસુએ સૂકી આંખે નેતાજી બેફામ રડે છે

બપોરી ઉનાળે નગરમાં ચૂનાવી મોસમ જામી છે


ગરીબી ગીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચડે ઉતરે

ખુરસીની રેસમાં, વચનો વેચવાની હોડ જામી છે


તક સાધુઓની મેલી રમત ઘર ગલીએ ભુવા ધૂણે

દેવસ્થાને દેવ દેવીએ પૂજાની હેલી જામી છે


વાહ મુંગાને બોલવાની રતાંધળાને જોવાની છે

દ્રષ્ટિ મળી ચૂંટણી પારકા પગે દોડની રેસ લાવી છે


કાંઠા કબાડે પાવરધાની ખુલી મોસમ ગોરખ ધંધે

ચૂંટણી ચકરાવે જનતા ચૂસે છે લોલીપોપની લ્હાણી 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.