Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે..


  • Published By :
  • Published Date : 2024-07-29 18:56:23

અનેક વખત આપણી સામે આવેલી સમસ્યા અત્યંત વિકટ બનવા લાગે છે, સમસ્યાની બહાર કેવી રીતે આવવું તેની ખબર નથી પડતી.. કયો નિર્ણય સાચો અને કયો નિર્ણય ખોટો તેની ખબર નથી પડતી. અનેક વખત એવું પણ બને કે અજાણ્યા લોકો આપણને મદદ કરે અને જાણીતા લોકો આપણી મદદ ના કરે.. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના...  


બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,

કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.


અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,

પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.


રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,

અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.


હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?

ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !


પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,

ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.


નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?

મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.


‘ગની’,નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,

કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.


-ગની દહીંવાલા 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે