Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-07 17:14:21

અનેક લોકો કંઈ પણ કરતા પહેલા વિચારતા હોય છે કે લોકો શું કહેશે.. લોકોનું વિચારીને કંઈક આગળ કરવાનું અનેક લોકો ટાળી પણ દેતા હોય છે. પોતાના પ્રમાણે જીવવાની અલગ જ મજા આવશે માત્ર લોકો શું કહેશે તેની પરવાહ કરવાની નથી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જીવનને સમર્પિત રચના. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.  


આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ

ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ


લાશને કંધો દેવા પડાપડી કરે હર કોઈ

જીવતાને સપોર્ટ કરવા આવે ના કોઈ


મજા આવશે સ્વભાવમાં જીવવાની જિંદગી

શાને કોઈના અભાવ કે પ્રભાવમાં જીવવાની જિંદગી


નમક મળે આજે ઘેર ઘેર

મલમ ના મળે એકેય ઘેર

માટે તૂટશે એ ફેંકાશે અહીં

પ્રેક્ટીકલ હશે એ જ ચાલશે અહીં


આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ

ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.