Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના - સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-22 17:29:51

અનેક વખત એવું બનતું હોય છે કે આપણે બધાનો સામનો કરી શકીએ છીએ પરંતુ પોતાનો સામનો નથી કરી શકતા. અનેક લોકો એવા હોય છે જે કંઈ નથી કરતા હોતા તો પણ થાક લાગે છે. ખાલી ખમ સમયનો સામનો નથી કરી શકતા. એકાંત દરેક લોકોને ગમે તે જરૂરી પણ નથી. અનેક લોકોને મૌન ગમે છે. મૌન રહી અનેક વખત તે લોકો બોલતા હોય છે માત્ર સમજતા આવડવું જોઈએ. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના..   



સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?

દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?


હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,

બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?


એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,

એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?


પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,

કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?


મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,

શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?


-ચિનુ મોદી



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.