Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના - સરકારને કરોડો મોઢા હોય છે .


  • Published By :
  • Published Date : 2024-05-31 17:05:56

આવતી કાલે દેશમાં લોકસભા ચૂંટણીના મતદાન માટેનો અંતિમ તબક્કો યોજાવાનો છે. ચોથી જૂને પરિણામ આવવાનું છે. સરકાર માટે એવું કહેવાય છે કે સરકાર ગમે તે ધારે તે કરાવી શકે છે.. કવિઓને લખાવી શકે છે, કળાકારને કળા કરાવી શકે, એક હાથે તાળી પડાવી શકે છે.. સરકાર લોકોના અવાજ પણ બંધ કરાવી શકે છે.. પરંતુ જ્યારે ગરીબની આંખ ફરે છે ત્યારે સરકાર ફરે છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના સરકાર..       



સરકારને કરોડો મોઢા હોય છે .

પણ એક આત્મા હોતો નથી

સરકાર અવાજની માલિક છે

અને માલિકનો અવાજ છે

સરકાર વિચારો કરાવી શકે છે

સરકાર લેખકને લખાવી શકે છે

ચિત્રકારને ચીતરાવી શકે છે

ગાયકને ગવડાવી શકે છે

કલાકારને કળા કરાવી શકે છે

એક હાથે તાળી પડાવી શકે છે

રવિવારને સોમવાર બનાવી શકે છે

નવી પેઢીને જૂની કરી શકે છે

પૈસા છાપી શકે છે , શ્વાસ ઉગાડી શકે છે

વીજળી વેચી શકે છે , ઈતિહાસ દાટી શકે છે

અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે

સરકારની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે

સમય ફરે છે, માણસ ફરે છે

યંત્ર ફરે છે, મંત્ર ફરે છે

પણ એક દિવસ ,

ગરીબની આંખ ફરે છે , અને-

સરકાર ફરે છે .

- ચંદ્રકાંત બક્ષી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.