Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે ભાનુશંકર વ્યાસની રચના - મજા જિંદગી છે હસો ને હસાવો


  • Published By :
  • Published Date : 2024-01-31 16:32:32

આપણે નાના હોઈએ છીએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય છે. મોટા થઈને સપના પૂરા કરવાની આશા હોય છે. પરંતુ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણે જીવનને માણવાનું ભૂલી જતા હોઈએ છીએ. જિંદગી બેરંગ થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત માત્ર ફોર્માલિટી માટે લોકો સાથે વાત કરવી પડે છે અને હસવું પડે છે પરંતુ અંદરથી આપણે જિંદગીને નથી માણતા. હસવાનું જાણે આપણે ભૂલી જતા હોઈએ છીએ. જિંદગીને જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ. પ્રાકૃતિક સુંદરતાને જોવાનું ભૂલી જતા હોઈએ છીએ.


મજા જિંદગી છે હસો ને હસાવો...

સાહિત્યના સમીપમાં આજે ભાનુશંકર વ્યાસની રચના પ્રસ્તુત કરવી છે જેમાં લોકોને જિંદગીમાં મજા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જીવીએ છીએ ત્યાં સુધી હસવું જોઈએ અને હસાવું જોઈએ.  



મજા જિંદગી છે હસો ને હસાવો,

પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,

લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.


અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,

બધાં બંધનો એહ દૂરે ફગાવો.


જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,

ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.


ભરી છે મજા કેવી કુદરત મહીં જો,

જિગર-બીન એવું તમેયે બજાવો.


ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,

અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.


ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,

અરે મોતને પણ હસીને હસાવો.


–  ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.