Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના - લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-06 18:03:16

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે.. પ્રેમીઓ અલગ જ દુનિયામાં જીવતા હોય તેવું લાગે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી..   




લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,

ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.


એની સતત નજર અને મારા હૃદય ઉપર ?

કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?


એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?

શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.


થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,

ફુરસદ મને મળે જો તમારા વિચારથી.


સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?

મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી


અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ

ખંડેર જેવું લાગે છે ,”આદિલ’ ” બહારથી.


આદિલ મન્સૂરી



થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

આજે આસો નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ રૂપોનું પૂજન કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ એટલે માતા ચંદ્રઘંટા

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.