Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આઝાદીને સમર્પિત રચના - આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી...


  • Published By :
  • Published Date : 2024-08-15 17:59:28

આજે 15મી ઓગસ્ટ છે.. 1947માં ભારત દેશ અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદ થયો હતો.. સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવનની કુરબાની આપી હતી.. ઘણા સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી હતી.. આઝાદીના અમૃત કાળની આપણે ઉજવણી કરી રહ્યા છીએ.. આઝાદ તો આપણે થઈ ગયા પરંતુ આજે પણ અનેક એવી સમસ્યાઓ છે જેની વાત કરવી જરૂરી બની છે..સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આઝાદીને લગતી રચનાને... આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. તમને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ...


ગુલામીના દિવસોમાં તરફડતું હિંદુસ્તાન

આઝાદીનાં દિવસોમાં રઝળતું હિંદુસ્તાન


ગયા વર્ષોની ગુલામી તો આઝાદી જેવી લાગી

આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી


ગયા વર્ષોના દિવસોમાં રંગ ભેદભાવ હતો

આજની આઝાદીનાં ઉંચ નીચનો ભેદભાવ જોયો


ગુલામીનાં દિવસોમાં એકતાથી આઝાદી મેળવી

આજના આઝાદીના દિવસોમાં એકતા ગીરવે મૂકી દીધી


ગુલામીના દિવસોમાં ભૂખને પણ ભૂંડી માની

આઝાગીના દિવસોમાં ભરપેટે પણ ભૂખ લાગી


ગુલામીના દિવસોમાં શિક્ષણ વિદેશી રહ્યું

આઝાદીના દિવસોમાં ઘર આંગણે અભણ દેખાયું..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે