Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વૃક્ષને સમર્પિત રચના - ઝાડ થકી તો ધરતી આખી સ્વર્ગ બની લહેરાય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-21 11:27:58

એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ તેવી વાતો સાંભળી હશે.. વૃક્ષોને કારણે પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે છે.. વૃક્ષો છે તો પ્રકૃતિ છે.. વૃક્ષ આપણને છાંયડો આપે છે, ફળ આપે છે, ઓક્સિજન આપે છે વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વૃક્ષોને સમર્પિત રચના..  આ રચનાના કવિ કોણ છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને જણાવો કમેન્ટમાં..  


ઝાડ મારા છે કુળનાં દીપક,

ઝાડનું છે બહુમાન

ઝાડ થકી તો ધરતી આખી

સ્વર્ગ બની લહેરાય


ઝાડ થકી છે દિન રે મારો

ઝાડ થકી છે સાંજ

ઝાડ વિના તો ધરતી આખી

થઈ જાશે વેરાન


મકાનોની લ્હાયમાં માણસ,

ઝાડને ભૂલતો જાય

શહેર માટે જંગલ આખાં

જીવતાં ગળી જાય.


ઝાડ કાજે તો નભના ભીનાં

વાદળ ગીતો ગાય

આવાં ભોળાં વૃક્ષો ઉપર

કરવત કેમ મૂકાય


ઝાડના લીધે નદીઓ સાગર

પાણીથી રેલાય

મોર, પપીહા, કોયલ, મીઠાં

કૂંજે ઝુલા ખાય


છાંયો આપે, ઈંધણ આપે

આપે ફળનું દાન

ઝાડ તો આપણી સંસ્કૃતિના 

વેદ કુરાન કહેવાય



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.