Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના - વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-02 17:13:38

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલશે.. રંગબેરંગી ફૂલો આવશે, જમીન હરિયાળી બની જશે. વરસાદની શરૂઆત થતા જ મોરનો ટહુકો સાંભળવા મળે છે. મન મોરની જેમ ઝુમી ઉઠે છે..વરસાદના પાણી સાથે રમવાની પણ એક અલગ જ મજા છે.. ગમે તેટલું કેમ ના પલળીએ પરંતુ મન તો નથી જ ભરાતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



કુદરતના એ સાનિધ્યની સોડમ શ્વાસમાં ભરી બસ બેસી રહેવું છે,

રંગબેરંગી ફૂલોની એ બંધ પાંખડીઓમાં બસ સમાઈ જવું છે..


વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી બસ ભીજાઈ જવું છે

મેઘરાજાની સવારી આવે ત્યારે મોરની બની બસ મારે ઝુમી જવું છે


વરસાદી મોસમ અને એ મોસમમાં કુદરતના સાનિધ્યનો પાલવ પકડી.

મન મૂકીને, સંસારના દરેક દુ:ખ દર્દને ભૂલીને

જિંદગીની બધી જ યાદોને વાગોળતા રહેવું છે.


વરસાદના પાણી સાથે રમવની એક અલગ જ મજા છે સાહેબ,

તન પણ ભીંજાઈ જાય ને મન પણ

ક્યારેક આંખો ભીંજાય જાય તો કોઈને જાણ પણ ના થાયને!



બસ ત્યારે 

આ વરસાદ સાથેની દોસ્તી તો મને બહુ ગમે છે,

આવે છે, ભીંજવે છે, ખુશખુશાલ કરી દે છે


વરસાદની મોસમમાં બસ મન થનગનાટ જ કરે છે

મન થાય કે બસ ભીંજાયા કરૂંને મારા ખુદના જ અસ્તિત્વમાં રાચ્યા કરૂં.



જિંદગીને જીવવી ઘણી વખત એટલી સહેલી નથી હોતી જેટલી સહેલી આપણે માનતા હોઈએ છીએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મુકેશ જોષીની રચના - જિંદગીને વાંચી છે?

દેશભરમાં આ પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કર્ણાટક રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકત્રિત કર્યા છે અને તેની તપાસ કરી. રિપોર્ટ આવતા ખબર પડી કે , તેમાં કેન્સર થાય એવા તત્વો હોય છે. સાથે જ આ સેમ્પલમાંથી ૨૨ ટકા પાણીપુરી તો સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારા ધોરણોમાં નિષ્ફળ નીવડી છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગઈકાલે અંબાણી પરિવારમાં લગ્ન પહેલાં મામેરા વિધિ કરવામાં આવી.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. મેઘો મન મૂકીને વરસી રહ્યો છે.. છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરાદ વરસ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.