Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂને સમર્પિત રચના - ગુરૂદક્ષિણા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-20 16:55:13

દરેકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું હોય છે તેટલી જ જરૂર બાળકને શિક્ષકની હોય છે.. ગુરૂની હોય છે.. ગુનો અર્થ થાય છે અંધારૂં અને રૂનો અર્થ થાય છે દૂર કરનાર..અંધારામાંથી આપણને બહાર લાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે.. ગુરૂ આપણને ઘણું બધુ શીખવાડતા હોય છે. જીવનમાં જ્યારે હતાશ થઈએ, આગળ કેવી રીતે વધવું તેની ખબર ના પડે ત્યારે ગૂરૂ આપણું માર્ગદર્શન કરતા હોય છે. આવતી કાલે ગુરૂપૂર્ણિમા છે.. ગુરૂનો મહિમા ગાવાનો દિવસ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂ અને શિષ્યના સંબંધોને દર્શાવતી રચનાને.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



પુષ્પને ખિલવા પ્રકાશ અને પાણીની જરૂર હોય છે,

એક નવજાત શિશુને સાચી સલાહની જરૂર હોય છે.


વેલને વધવા સહારાની જરૂર હોય છે,

પ્રગતિને પામવા પડકારની જરૂર હોય છે..


આમ તો સંસાર ચાલ્યા જ કરે છે!

બસ એને સુખી રીતે ચલાવવા એક ગુરૂની જરૂર હોય છે


અભ્યાસની કસોટીમાં આંકડાની જરૂર હોય છે,

જિંદગીની પરીક્ષામાં એક અનુભવીની જરૂર હોય છે


સઘળું દીઠું છે આ જગમાં જાણીને

ગુરૂદક્ષિણ અંતરમનથી દે એ ભાવની જરૂર હોય છે


ગુરૂદ્રોણ હજી પણ ક્યાંક અહીંતહીં જ છે,

બસ એને પામવા એકલવ્ય જેવા શિષ્યની જરૂર હોય છે



વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડોદરાથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ હવે આવા દ્રશ્યો અમદાવાદના ઓઢવથી સામે આવ્યા છે જેમાં બાબુદાસ પટેલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. સ્થાનિકોએ તેમનો રોષ ઢાલવ્યો અને તેમને જતા રહેવા કહ્યું..