Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાતને સમર્પિત રચના - હું એવો ગુજરાતી....


  • Published By :
  • Published Date : 2024-10-23 18:30:24

અમે ગુજરાતી... આ શબ્દ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે છાતી ફૂલી જાય.. નર્મદાને આપણે ત્યાં જીવાદોરી ગણવામાં આવે છે.. તે સિવાય પણ અનેક નદીઓ છે જે ગુજરાતમાં પ્રાણ પૂરે છે. ગુજરાતનો પ્રિય તહેવાર છે નવરાત્રી.. ગુજરાત માટે જેટલું લખીએ તેટલું ઓછું પડે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિનોદ જોષીની રચના....    



હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,

અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,

હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,

સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,

હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,

મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,

વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક

હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક

હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર

મારે શિર ભારતમાતની આશિષનો વિસ્તાર

હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


– વિનોદ જોષી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે